Sunday, January 18, 2026
Homeરાજ્યજામનગરસડોદડમાં નિવૃત્ત પ્રૌઢનું તાવમાં પટકાતા મોત

સડોદડમાં નિવૃત્ત પ્રૌઢનું તાવમાં પટકાતા મોત

જામજોધપુર તાલુકાના સડોદડ ગામમાં રહેતાં નિવૃત્ત પ્રૌઢને ઠંડી અને તાવના કારણે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સડોદડ ગામમાં રહેતા નાનજીભાઈ બાવનજીભાઈ તેરૈયા (ઉ.વ.58) નામના પ્રૌઢને સાત માસ પૂર્વે અકસ્માત થયો હતો અને ત્યારબાદથી નિવૃત્ત જીવન જીવતા હતાં દરમિયાન પ્રૌઢને ઠંડીથી તાવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન શુક્રવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની મંજુબેન દ્વારા જાણ કરાતા હેકો એસ. એચ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular