Tuesday, July 9, 2024
Homeરાજ્યજામનગરછેતરપિંડી તથા વિશ્વાસઘાતના કેસમાં સાત માસથી ફરાર આરોપી ઝડપાયો

છેતરપિંડી તથા વિશ્વાસઘાતના કેસમાં સાત માસથી ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર સિટી સી પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા વિશ્વાસઘાતના કેસમાં છેલ્લાં સાત માસથી વોન્ટેડ આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે દ્વારકા ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી રામભાઈ વેરશી કારીયા વિરૂધ્ધ વાહન ભાડે રાખવાની ખોટી વિગત જણાવી ફરિયાદીની રૂા.4,73,000 ની મોટરકાર તથા અસલ ડોકયુમેન્ટ મેળવી લઇ ફરિયાદીને પરત ન આપી છેતરપિંડી તથા વિશ્ર્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આરોપી છેલ્લાં સાત માસથી નાસતો ફરતો હોય. હાલમાં દ્વારકા રેલવે સ્ટેશન પાસે હોવાની પેરોલ ફર્લો સ્કવોર્ડના ભરતભાઈ ડાંગર, ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા તથા મહિપાલભાઈ સાદીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા,તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે રામભાઇ વેરશી કારીયાને દ્વારકા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લઇ સીટી સી પોલીસને સોંપી આપ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular