Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરઆમરા ગામના વાડી વિસ્તારમાં વીજશોક લાગતા યુવાનનું મોત

આમરા ગામના વાડી વિસ્તારમાં વીજશોક લાગતા યુવાનનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના આમરા ગામના વાડી વિસ્તારમાં કુવામાં આવેલી મોટરમાં વીજશોક લાગતા બેશુધ્ધ થઈ જતા યુવાનનું જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા ગામના વાડી વિસ્તારમાં રહેતાં ભગવાનજીભાઈ હરજીભાઈ સોનાગરા (ઉ.વ.41) નામના યુવાનને ગત તા. 13 ના રોજ રાત્રિના સમયે તેના ખેતરના કૂવાની મોટરમાંથી ઇલેકટ્રીક શોક લાગતા બેશુધ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરૂવારે ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વસંતભાઇ સોનાગરા દ્વારા જાણ કરાતા હેકો સી ટી પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular