Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં અગમ્ય કારણોસર યુવાનનો ગળેફાંસો ખાઇ આત્મહત્યા

જામનગર શહેરમાં અગમ્ય કારણોસર યુવાનનો ગળેફાંસો ખાઇ આત્મહત્યા

6 દિવસ પૂર્વે ચાદર વડે ગળેટૂંપો ખાધો : સારવાર દરમ્યાન મોત નિપજયું : ખંઢેરામાં ખેતમજૂરનું હાર્ટએટેકથી મોત

જામનગર શહેરના રામેશ્વરનગર, માટેલ ચોક વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના વાડી વિસ્તારમાં રહેતાં મજૂર યુવાનને હાર્ટએટેકનો હુમલો આવતાં મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના રામેશ્વરનગર, માટેલ ચોક વિસ્તારમાં આવેલા રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતો વિજયસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.35) નામના યુવાનએ ગત્ તા. 15ના રોજ વહેલી સવારના સમયે તેના ઘરે રૂમમાં રહેલા પંખાના હુકમાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા હરદેવસિંહ દ્વારા જાણ કરતા હે.કો. વાય. એમ. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજો બનાવ છોટા ઉદયપુર જિલ્લાના જેતપુર તાલુકાના લુણાજા ગામનો વતની અને હાલ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલી કેશુભાઇ પટેલની વાડીમાં ખેતમજૂરી કરતો નગીનભાઇ માનસિંગભાઇ નાયકા (ઉ.વ.30) નામના શ્રમિક યુવાનને મંગળવારે સવારના સમયે તેના ખેતરે અચાનક ચક્કર આવતા પડી જવાથી બેશુઘ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની નવલભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ આર. વી. ગોહિલ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular