Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસમસ્ત જૈન સમાજ જામનગર(શહેર)ના કોઇ નવા પ્રમુખ નિમાયા નથી

સમસ્ત જૈન સમાજ જામનગર(શહેર)ના કોઇ નવા પ્રમુખ નિમાયા નથી

જૈન સમાજના ઉત્કર્સ માટે સમસ્ત જૈન સમાજ જામનગર (શહેર)ની 2016માં રચના કરવામાં આવી હતી. પરંતું કોરોના કાળ અને અન્ય વિવિધ કારણસર આ સંસ્થા ઘણા લાંબા સમય થયા સુષુપ્ત અવસ્થામાં છે. હાલ જૈન સમાજના દરેક ફિરકામાંથી આ સંસ્થાને ફરીથી કાર્યરત કરવાની માંગણી કરાતા તારીખ 04 ઓગસ્ટ 2022 ગુરુવારના રોજ પારસધામ ખાતે સમસ્ત જૈન સમાજ જામનગર(શહેર)ની હાલની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એજન્ડા મુજબ નવા પ્રમુખની વરણી કરવાની ચર્ચા કરતા કારોબારી સભ્યો તરફથી સૂચન કરાયેલ કે ઘણા સમયથી સંસ્થાની કોઈ કામગીરી થઇ ન હોવાથી દરેક ફીરકામાંથી છેલ્લાં 3-4વર્ષમાં ફેરફાર થયા હોય જેના કારણે દરેક ફિરકા પાસેથી તેમના પ્રતિનિધિઓના નામ મંગાવવામાં આવે અને આ નામ આવ્યા બાદ કારોબારીનું ગઠન કરવું અને નવી કારોબારીમાંથી પ્રમુખ અને હોદેદારોની વરણી કરવી જોઇએ.

- Advertisement -

તેમજ આ બેઠકમાં એવું પણ નકકી કરવામાં આવ્યું હતું કે, નવી કારોબારી અને પ્રમુખની મુદ્ત બે વર્ષની એટલે કે(વર્ષ2022-2024)ની રહેશે. તેમજ હાજર રહેલા કારોબારીના સભ્યોએ સર્વાનુમતે આ સુચનનું સ્વિકાર કર્યો હતો. જેથી નવા પ્રતિનિધિઓના નામ મંગાવવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. આ સંસ્થાના બંધારણની રચના કરવા માટે નવી કારોબારીના ગઠન થયા બાદ દરેક ફિરકાના એક-એક પ્રતિનિધિને નિમણુંક આપી બંધારણ સમીતિ બનાવી અને શકય તેટલું જલ્દી સમસ્ત જૈન સમાજ ઉપયોગી બંધારણ તૈયાર કરવાના નિર્ણય સર્વાનું મતે લેવામાં આવ્યા હતાં.
અગત્યની બાબત એ છે કે, આ સંસ્થા દ્વારા હાલ કોઇ એડહોક સમિતિ કે, નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવી નથી અને આ સંસ્થા દ્વારા કોઇ જાહેરાત કે, પ્રેસનોટ પ્રસિધ્ધ કરવામાં આવી નથી. તેમ ઇન્ચાર્જ પ્રમુખ પ્રમુખ પી.મહેતા, વિજય કે.સંઘવી અને માનદ મંત્રી વિજય એમ.શેઠની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular