જામજોધપુર તાલુકાના અમરાપર ગામ નજીક આવેલી પથ્થરની ખાણમાં મજૂરી કામ કરતા સમયે શ્રમિક યુવકને ઇલેકટ્રીક મશીનમાંથી વીજશોક લાગતા બેશુદ્ધ થઇ જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના ધુરીપુર તાલુકાના તાજુદીનપુર ગામનો વતની અને હાલ જામજોધપુર તાલુકાના અમરાપર ગામ નજીક આવેલી દિપકભાઈ ભાટુની પથ્થરની ખાણમાં મજૂરી કામ કરતા કાલીપ્રસાદ ઉર્ફે ગુડુ ઘનશ્યામ યાદવ (ઉ.વ.22) નામનો યુવક સોમવારે સાંજના સમયે ઇલેકટ્રીક મશીન ઉપર કામ કરતો હતો તે દરમિયાન અચાનક મશીનમાંથી વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની શીતલાપ્રસાદ યાદવ દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ. કંચવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.