જામનગર શહેરમાં આવતીકાલથી સ્થાનકવાસી જૈન સંઘ તેમજ દેરાવાસી જૈન સંઘના પર્યૂષણના મહાપર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પર્યુષણના મહાપર્વ પૂર્વે શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસરમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે રોશનીથી દેરાસર ઝળહળી ઉઠતું નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતાં. આવતીકાલથી પ્રાારંભ થતાં પર્યુષણના મહાપર્વને લઇ જૈન સમુદાયમાં અનેરો ઉત્સાહ છવાયો છે.


