Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકાનાલુસ ગામમાં પત્ની માવતરે જતી રહેતાં પતિની આત્મહત્યા

કાનાલુસ ગામમાં પત્ની માવતરે જતી રહેતાં પતિની આત્મહત્યા

જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો : પોલીસ દ્વારા કાર્યવાહી

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા યુવાનની પત્ની પીયર જતી રહેતા મનમાં લાગી આવતા જિંદગીથી કંટાળીને પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં ખોજાફળીમાં રહેતા કૈલાશ પૂંજાભાઈ કેશવાલા (ઉ.વ.35) નામના યુવાનની પત્ની શશીકલાબેન તેના પીયર કર્ણાટક જતાં રહયાં હતાં અને ત્યાંથી પરત ફરતા ન હતાં. જેથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે સાંજના સમયે કૈલાશે તેના ઘરે રૂમના પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રિનાબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જેઠવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular