Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઇમરજન્સી હેલ્થ રિસ્પોન્સ માટે 23,100 કરોડનું પેકેજ

ઇમરજન્સી હેલ્થ રિસ્પોન્સ માટે 23,100 કરોડનું પેકેજ

મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પછી પહેલી વાર ગુરુવારે સાંજે કેબિનેટ બ્રીફિંગ થઈ. આ દરમિયાન માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ પ્રેસને કેબિનેટના નિર્ણયો વિશે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડુત મંડીઓને મજબૂત બનાવવામાં આવશે. આ માટે એક લાખ કરોડ રૂપિયા મંડી દ્વારા ખેડુતો સુંધી પહોંચશે. જ્યારે, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ત્રીજી લહેર માટે 23 હજાર, 100 કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત કરી.

આ દરમિયાન, કૃષિ મંત્રીએ વિરોધ કરી રહેલા ખેડૂતોને અપીલ પણ કરી. તેમણે કહ્યું કે મંડીઓ ખતમ નહીં થાય, મંડીઓને વધુ મજબુત કરવામાં આવશે.

એપીએમસી એક લાખ કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે. સરકારે કિસાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે બે કરોડની લોન આપી છે. કૃષિ મંત્રીએ કહ્યું કે નાળિયેર વિકાસ બોર્ડ 1981 માં અસ્તિત્વમાં આવ્યું હતું. કહ્યું કે બોર્ડનાં એક્ટમાં સુધારો કરવામાં આવશે. આમાં અધ્યક્ષ બિન-શાસકીય રહેશે. એક્ઝિક્યુટિવ પાવર માટે સીઇઓ રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા 6 સભ્યોની નિમણુક કરવામાં આવશે. આંધ્ર પ્રદેશ અને ગુજરાત પણ તેના સભ્યો હશે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે કોરોના પેકેજનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોરોના પેકેજમાંથી જ ચાર લાખથી વધુ ઓક્સિજન સપોર્ટેડ બેડ બનાવવામાં આવ્યા છે. સાથોસાથ, 10111 ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર તરંગ માટે, આરોગ્ય પ્રધાને 23 હજાર, 100 કરોડના પેકેજની જાહેરાત કરી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular