Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશજીને 21,000 લાડુનો પ્રસાદ ધરાયો

જામનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશજીને 21,000 લાડુનો પ્રસાદ ધરાયો

- Advertisement -

જામનગરમાં ગણેશ ભકતો દ્વારા ધામધુમ પૂર્વક ગણપતી મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ગણેશ મંડળો દ્વારા ગણેશમહોત્સવ દરમ્યાન અનેક વિધ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતાં હોય છે. જામનગર શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશમહોત્સવ દરમ્યાન ગણપતિ દાદાને 21,000 લાડુનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. આ વિસ્તારના ભાઇઓ-બહેનોએ સાથે મળીને આ લાડુ તૈયાર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ ધરી ભકતોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular