Tuesday, September 17, 2024
Homeરાષ્ટ્રીયલઘુમતી મંત્રાલયની શિષ્યવૃત્તિ યોજનામાં 144 કરોડનું કૌભાંડ

લઘુમતી મંત્રાલયની શિષ્યવૃત્તિ યોજનામાં 144 કરોડનું કૌભાંડ

- Advertisement -

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 144.33 કરોડ રૂપિયાના કથિત લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડના સંબંધમાં એફઆઇઆર નોંધી છે. આરોપોમાં ગુનાહિત કાવતરૂં, બનાવટી, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 2017-18 થી 2021-22 સુધીના આ કૌભાંડની રકમ 144.33 કરોડ રૂપિયા હતી અને તેમાં 830 સંસ્થાઓ સામેલ હતી, જયાં તપાસ દરમિયાન નકલી લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. સીબીઆઇએ બેંક, ઇન્સ્ટીટયૂટ અને અન્ય પક્ષોના અજાણ્યા લોકો સામે છેતરપીંડી, ષડયંત્ર વગેરે કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સ્કીમ હેઠળ 830 બોગસ સંસ્થાઓને 144 કરોડ અપાયા હતા.

- Advertisement -

આ વર્ષે જુલાઈમાં, લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ એજન્સીનું ધ્યાન આ મુદ્દા તરફ દોર્યું હતું, જેના પગલે સીબીઆઈને લઘુમતી બાબતોના મંત્રાલય પાસેથી આ સંબંધમાં ફરિયાદ મળી હતી. લઘુમતી બાબતોના મંત્રાલયે 6 લઘુમતી સમુદાયો મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીના વિદ્યાર્થીઓ માટે પૂર્વ-મેટ્રિક શિષ્યવૃત્તિ, પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને મેરિટ-કમ-મીન્સ ત્રણ શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકી છે.

આ શિષ્યવૃત્તિ 1.8 લાખથી વધુ સંસ્થાઓમાં અભ્યાસ કરતા લઘુમતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 2021-22માં પૂરા થતા છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક 65 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી છે. મંત્રાલયની યોજનાઓ સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો એક ભાગ છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ દ્વારા વિદ્યાર્થીઓને 100 ટકા ફંડ સીધા જ વિતરિત કરવામાં આવે છે.

- Advertisement -

મંત્રાલયના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘શિષ્યવૃત્તિ યોજના હેઠળ ભંડોળની ઉચાપતના વિવિધ અહેવાલોને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે યોજનાઓનું તૃતિય પક્ષ મૂલ્યાંકન કરવા માટે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ની નિમણૂક કરી છે. આ ઉપરાંત, મંત્રાલયે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા મૂલ્યાંકન કર્યું, જેનો હેતુ શંકાસ્પદ સંસ્થાઓ અને તેમના અરજદારોને ઓળખવાનો હતો.

એનએસપી પર જનરેટ કરાયેલ ચેતવણીના આધારે મૂલ્યાંકન માટે કુલ 1,572 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 21 રાજયોમાં 830 સંસ્થાઓ બિન-ઓપરેશનલ, નકલી અથવા આંશિક રીતે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.
મંત્રાલયે 2017-18 થી 2021-22 સુધી ઓળખાયેલી નકલી સંસ્થાઓ માટે નાણાકીય અસરની ગણતરી કરીને તિજોરીને અંદાજિત નુકસાનનો અંદાજ લગાવ્યો હતો. આ 830 સંસ્થાઓ માટે અંદાજિત નુકસાન રૂ. 144.33 કરોડ હતું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે નુકસાનની ગણતરી ફક્ત તે સમયગાળા માટે કરી શકાય છે જે દરમિયાન મંત્રાલય પાસે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર સ્વચ્છ ડિજિટલ ડેટા હતો. આ સંસ્થાઓના અરજદારોએ 2017-18 પહેલાના વર્ષો માટે પણ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હોવી જોઈએ.

- Advertisement -

મંત્રાલયે આ કેસ સાથે સંબંધિત અનેક દસ્તાવેજો સીબીઆઈને સોંપ્યા છે. પહેલો દસ્તાવેજ એ 830 સંસ્થાઓ સામેના તારણોની વિગત આપતી સ્વ-નિર્ધારિત નોંધ હતી જેમાં અનૈતિક તત્વો દ્વારા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી અને વર્ષ 2017-18 થી 2021-22ના વર્ષોમાં અંદાજિત રૂ. 144.33 કરોડના નુકસાનનો સમાવેશ થાય છે. બીજો દસ્તાવેજ ગઈઅઊછ ના મોનિટરિંગ અને મૂલ્યાંકન અભ્યાસનો અહેવાલ હતો. ત્રીજા દસ્તાવેજમાં અરજીની વિગતો અને સંસ્થા અને જિલ્લા સ્તરે અરજીઓ મંજૂર કરનાર સત્તાવાળાઓ વિશેની માહિતી સાથે 830 સંસ્થાઓની સૂચિ હતી. ચોથા દસ્તાવેજમાં શિષ્યવૃત્તિની મંજૂરી માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની નકલ સામેલ છે.

માહિતી અનુસાર, 1572 સંસ્થાઓના ડેટાના મૂલ્યાંકનથી લગભગ 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મંત્રાલયે 1.80 લાખથી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરી છે, જે દર્શાવે છે કે સરકારને વાસ્તવિક નુકસાન ઘણું વધારે હોઈ શકે છે. આ સ્કેલની છેતરપિંડી સંસ્થાઓ, અરજદારો, સંસ્થાના નોડલ અધિકારીઓ, જિલ્લા નોડલ અધિકારીઓ અને બેંક અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ વિના શક્ય ન હોત, કારણ કે શિષ્યવૃત્તિની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પ્રીમિયર તપાસ એજન્સી દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે અને તે તમામ સામેલ સંસ્થાઓ અને વ્યક્તિઓની તપાસ કરવી જરૂરી છે જેમણે શિષ્યવૃત્તિનો છેતરપિંડીનો દાવો કર્યો છે, એમ પત્રમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular