એમ.કે. ઇવેન્ટ દ્વારા ગુજરાતના ગાલીબ મરીઝ 108 નોટઆઉટ ગઝલની સંગીતમય કાર્યક્રમનો તા.22 ફેબ્રુઆરીના રાત્રે 9 થી 12 દરમિયાન ધીરુભાઈ અંબાણી વાણિજય ભવન (ચેમ્બર હોલ) જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાસીકલ સીંગર તસ્લીમબેન બ્લોચ, કલાસીકલ સીંગર રુપેશ ચૌહાણ, ગઝલ સીંગલ અલ્તાફ પોસલા, સીંગર એંકર મુન્નાખાન પઠાણ, મ્યુઝીક એરેન્જમેન્ટ નિલેશ રાઠોડ, કલાસીકલ સીંગર દ્રષ્ટિ રૂપેશ ચૌહાણ, પેડ પ્લેયર અઝીઝ હાજી, મરીઝ દર્શન સર્જક અને સર્જન અનિલ મહેતા સહિતના કાર્યક્રમ પ્રસ્તુત કરશે. વધુ માહિતી માટે વોટસએપ નંબર 98242 87272 નો સંપર્ક કરવા જણાવ્યું છે.