Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારજામનગરના દોઢીયામાં યુવાનનું બેશુદ્ધ થઈ જતાં મોત

જામનગરના દોઢીયામાં યુવાનનું બેશુદ્ધ થઈ જતાં મોત

ત્રણ દિવસ પહેલાં વહેલીસવારે ખેતરમાં બેશુદ્ધ થઈ ગયો : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી

- Advertisement -

જામનગર તાલુકાના દોઢીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં નેરના કાંઠે બેશુધ્ધ હાલતમાં મળી આવતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા હિરાભાઈ લીંબાભાઇ ટોયટા (ઉ.વ.45) નામનો યુવાન ગત તા.18 ના રોજ વહેલીસવારના સમયે તેના ખેતરના નેરના કાંઠા પાસેથી બેશુધ્ધ હાલતમાં મળી આવતા યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાંઅ આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મંગાભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.ટી. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular