Friday, December 5, 2025
Homeરાજ્યજામજોધપુર તાલુકાના જામવાડીમાં રસોઇ બનાવતી મહિલાનું હૃદયરોગના હુમલાથી મોત

જામજોધપુર તાલુકાના જામવાડીમાં રસોઇ બનાવતી મહિલાનું હૃદયરોગના હુમલાથી મોત

કાલાવડ તાલુકાના જામવાડી ગામમાં રહેતા મહિલાનું રસોઇ બનાવતી વેળાએ ચક્કર આવતા બેશુધ્ધ થઈ જતાં હૃદયરોગનો હુમલાના કારણે મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જામવાડી ગામમાં રહેતા કાશીબેન દિનાભાઈ નાયક (ઉ.વ.45) નામના મહિલા સોમવારે વહેલીસવારના સમયે રસોઇ તેના ઘરે રસોઇ બનાવતા હતાં તે દરમિયાન અચાનક ચકકર આવતા હૃદયરોગના હુમલાથી બેશુધ્ધ થઈ જતા મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પતિ દિનાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.વી.છૈયા તથા સ્ટાફે પીએમ માટે મૃતદેહને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular