Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

જામનગર શહેરના સાંઢીયા પુલ પાસે આવેલા વિસ્તારમાં રહેતાં મહિલાએ તેણીના ઘરે અગમ્યકારણોસર પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાંઢીયા પુલ પાસે આવેલા શિવદર્શન સોસાયટી શેરી નં.4 માં રહેતાં લલિતાબેન માધવભાઈ ઓડીચ (ઉ.વ.50) નામના મહિલાએ સોમવારે બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર રૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પતિ માધવભાઈ દ્વારા કરવામાં આવતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular