Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનો ઝેર પી આપઘાત

કલ્યાણપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનો ઝેર પી આપઘાત

કલ્યાણપુરાથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ નજીક થોડા સમય પૂર્વે હાલ પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતા અજયભાઈ જેઠાભાઈ વાઘેલાના પત્ની જોસનાબેન (ઉ.વ. 25) એ ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તારીખ 13 મે ના રોજ તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવની નોંધ કરાવતા મૃતકના પતિ અજયભાઈ વાઘેલા (રહે. અડવાણા)એ કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક જોસનાબેન તથા ભોગ બનનાર સાહેદ રમેશભાઈ દેવાભાઈ વાઘેલા જેઓ બંને માસી-ભાણેજ થતા હોય, બંને વચ્ચે મનમેળ થતા પ્રેમ સંબંધ બંધાયો હતો. અને તેઓ બંને ઘરેથી ભાગી ગયા હતા.

આ યુવતી જોસનાબેન તથા રમેશભાઈ પરિણીત હોય, જેથી તેઓને મનમાં વિચારો આવતા હોય કે આ તેઓથી ખોટું પગલું ભરાઈ ગયું છે. જેથી તે બંનેને મનમાં લાગી આવતા બંનેએ પોત-પોતાના મેળે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જોસનાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે ધોરણસર નોંધ કરી, ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની કાર્યવાહી પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular