Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઅંધાશ્રમ ઓવરબ્રીજ નજીક ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા પુરૂષનું મૃત્યુ

અંધાશ્રમ ઓવરબ્રીજ નજીક ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા પુરૂષનું મૃત્યુ

પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ

જામનગર અંધાશ્રમ ઓવરબ્રીજ નજીક અજાણ્યો પુરૂષ ટ્રેન હેઠળ આવી જતાં મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ,ગઇકાલે સાંજના સમયે અંધાશ્રમ ઓવરબ્રીજ નીચે થાંભલા નંબર 830 પાસે અંદાજિત 40 વર્ષનો અજાણ્યો પુરૂષ કોઇપણ કારણોસર ટ્રેન હેઠળ આવી જઈ કપાઇ જતાં મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પ્રવિણભાઈ ભીમજીભાઈ વાઘેલા દ્વારા પોલીસને જાણ કરાતા સિટી સી ડીવીઝનના પીએસઆઈ એઅ.એ. પીપરીયા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular