Monday, January 12, 2026
Homeરાજ્યહાલારમીઠાપુર અને ભાણવડની બે મહિલાઓએ જિંદગી ટૂંકાવી

મીઠાપુર અને ભાણવડની બે મહિલાઓએ જિંદગી ટૂંકાવી

ખબર-ખંભાળિયા
આ અંગેની વિગત મુજબ, મીઠાપુર ગામે રહેતા અસ્મિતાબેન મનસુખભાઈ ચૌહાણ નામના 24 વર્ષના મહિલાએ રવિવારે રાત્રિના સમયે આપધાત કરી લીધો હોવાની જાણ મૃતકના પતિ મનસુખભાઈ ઓધવજીભાઈ ચૌહાણ (ઉ.વ. 32) એ મીઠાપુર પોલીસને કરી છે. મૃતક અસ્મિતાબેને પોતાના પતિને બહાર ફરવા લઈ જવાનું કહેતા કામના ભારણને લીધે પતિએ ના કહેતા આ બાબતથી મનમાં લાગી આવ્યું હોવાથી તેણીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સંયુક્ત પરિવારમાં રહેતી મૃતક યુવતીનો લગ્નગાળો છ વર્ષનો હતો. ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર શીવાગામ ખાતે રહેતા હીનાબેન વલાભાઈ રામાભાઈ ગેડા નામના 45 વર્ષના મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે પંખામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની જાણ મૃતકના સાસુ રાણીબેન રામાભાઈ ગેડાએ ભાણવડ પોલીસના કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular