Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર બેલડી ઝડપાઇ

જામનગર શહેરમાંથી ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર બેલડી ઝડપાઇ

- Advertisement -

જામનગર શહેરમાં અન્નપૂર્ણા ચોકડી નજીકથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર બેલડીને ઝડપી લઇ મોબાઇલ કબ્જે કર્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં વધી રહેલી મોબાઈલ ચોરી અટકાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીની ટીમે મોબાઇલ ચોર ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન હેકો અરજણભાઈ કોડિયાતર, મયુદ્દીન સૈયદ, પો.કો. કલ્પેશભાઈ મૈયડને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે અન્નપૂર્ણા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે સંજયસિંહ ઉર્ફે લાલો હરીસિંહ પઢીયાર (ઉ.વ.36, રહે.જામનગર) અને કરણ નારાયણ ચેલારામાણી (ઉ.વ.23 રહે. જામનગર) નામના બન્ને તસ્કરોને દબોચી લઇ તલાસી લેતા તેમની પાસેથી રૂા.30000 ની કિંમતના રીયલમીના ત્રણ ચોરાઉ મોબાઇલ મળી આવતા એલસીબીએ ચોરાઉ મોબાઇલ કબ્જે કરી બન્ને તસ્કરોની પૂછપરછ આરંભી સીટી એ ડીવીઝનને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular