Thursday, October 24, 2024
Homeરાષ્ટ્રીયએકાઉન્ટ અનલોક: રાહુલની આકરી પ્રતિક્રિયા પછી ટવીટરનો યુ-ટર્ન

એકાઉન્ટ અનલોક: રાહુલની આકરી પ્રતિક્રિયા પછી ટવીટરનો યુ-ટર્ન

- Advertisement -

ટ્વિટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ રિસ્ટોર કર્યું છે. દિલ્હીની નવ વર્ષીય બળાત્કાર પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટરે રાહુલ ગાંધીના એકાઉન્ટને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું હતું. પછી તેને લોક કરી દેવામાં આવ્યું હતું. આ ચિત્રને શેર કરવા માટે અન્ય કોંગ્રેસી નેતાઓના એકાઉન્ટ પણ લોક કરવામાં આવ્યા હતા તે પણ પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે.

નેતાઓના હેન્ડલ લોક થયા બાદ કોંગ્રેસે પણ ટ્વિટર પર હુમલો કર્યો હતો. કોંગ્રેસે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલને અસ્થાયી રૂપે સસ્પેન્ડ અને પછી લોક કરવાની માહિતી આપી હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલ અનલોક થયાના એક દિવસ પહેલા જ વિડીયો સ્ટેટમેન્ટ જાહેર કરીને ટ્વિટર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક કંપની તરીકે ટ્વિટર દેશની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે, જે લોકશાહી માળખા પર હુમલો છે. ટ્વિટર પર તેમણે કહ્યું હતું કે આ માત્ર મારો અવાજ બંધ કરવાની બાબત નથી, તે કરોડો લોકોને મુંગા કરવાની બાબત છે.

રાહુલ ગાંધી આટલેથી અટક્યા નહીં. તેમણે કહ્યું કે ટ્વિટરનું આ પગલું દર્શાવે છે કે તે તટસ્થ પ્લેટફોર્મ નથી. રાહુલ ગાંધીએ ટ્વિટર પર પક્ષપાતી પ્લેટફોર્મ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તે વર્તમાન સરકાર જે કહે છે તે સાંભળે છે. પીડિતાની માતાએ કહ્યું રાહુલ ગાંધીએ બળાત્કાર પીડિત બાળકીના પરિવારના સભ્યો સાથે ટ્વિટ કરીને કરેલા ખોટો પર તેમને કોઈ વાંધો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular