Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

જામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

મહેશ્વરીનગરમાંથી રૂા.21390 ની રોકડ અને ઘોડીપાસા કબ્જે

- Advertisement -

જામગનર શહેરમાં મહેશ્વરીનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોની પોલીસે રેઈડ દરમિયાન રૂા.21390 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બંગ નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગારદરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસે આવેલા મહેશ્વરીનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન વિજય ખેંગાર ચાવડા, ખેરાજ દેવા પરમાર અને વિરા ઉર્ફે રાજુ બાના ગડણ નામના ત્રણ શખ્સોને રૂા.21,390 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular