Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના વડત્રા ગામે માતાજીના મંદિરમાં ચોરી

ખંભાળિયાના વડત્રા ગામે માતાજીના મંદિરમાં ચોરી

અન્ય એક સ્થાનિક રહીશના મુદ્દામાલની પણ ચોરી

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં આવેલા કાટેશ્વરી માતાજીના મંદિર ખાતે કોઈ હરામખોરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી, મંદિરનું તાળું તોડ્યા બાદ આ મંદિરમાં રાખવામાં આવેલા રૂપિયા 9,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વડત્રા ગામના રહીશ ગોવાભાઈ કરણાભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે અહીંના પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ વિસ્તારમાં અન્ય એક ચોરી થવા સબબ વડત્રાના મૂળ રહીશ પ્રજાપતિ રમણીકલાલ રામજીભાઈ સવનીયા (ઉ.વ. 52) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ વડત્રા ગામે ઉપરોક્ત આસામીના બંધ મકાનના તાળા તોડી કોઈ તસ્કરો અહીં રાખવામાં આવેલી રૂપિયા 1,000 ની કિંમતની સાયકલ સહિત નાની-મોટી ચીજ વસ્તુઓ મળી, કુલ રૂપિયા 2,600 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવો બહાર આવ્યો છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 380, 454 તથા 457 મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular