Thursday, October 24, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં પાનની દુકાનમાં ખાતર પાડતા તસ્કરો

ભાણવડમાં પાનની દુકાનમાં ખાતર પાડતા તસ્કરો

- Advertisement -

ભાણવડ તાલુકાના હાથલા ગામે રહેતા અને પાન તથા ડેરીની દુકાન ધરાવતા મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ જેઠવા નામના 46 વર્ષના વેપારી યુવાનની દુકાનમાં ગત તારીખ 5 નવેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી, અહીં દુકાનના નકુચા તોડીને આ દુકાનમાં રહેલો માલસામાન વેર-વિખેર કરી નાખ્યો હતો. આ દુકાનમાં રાખવામાં આવેલું હોમ થિયેટર, સોપારી, તમાકુ, ગુટકા તેમજ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 15,200 રોકડા મળી કુલ રૂપિયા 30,700 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે આઈપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular