Friday, October 18, 2024
Homeરાજ્યહાલારમેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસનો ફરાર આરોપી ઝડપાયો

મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસનો ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબી પોલીસે ઝાખર ગામના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. અને વધુ કાર્યવાહી માટે મેઘપર (પડાણા) પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી અનિલ ઉર્ફે રોહિત મનસુખ સોલંકી નામનો શખ્સ નાસતો ફરતો હોય. આ દરમિયાન હાલમાં ઝાખર ગામના પાટીયા પાસે હોવાની એલસીબીના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા તથા ધાનાભાઇ મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ આર.કે.કરમટા તથા પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા ઝાખર ગામના પાટીયા પાસે ચામુંડા હોટલ પાસેથી અનિલ ઉર્ફે રોહિત મનસુખ સોલંકી નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular