Friday, September 20, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર યાર્ડ પાસેથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામજોધપુર યાર્ડ પાસેથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાસેથી દબોચી લીધો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લાં એક વર્ષથી રાજેશ માયા મશુરા (રહે.ખંભાળિયા) નામનો શખ્સ નાસતો ફરતો હતો. આ નાસતા ફરતા શખ્સ અંગેની પેરોલ ફર્લો સ્કવોર્ડના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધિરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, ધર્મેન્દ્ર વૈષ્ણવને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા,તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાસેથી રાજેશને દબોચી લઇ જામજોધપુર પોલીસને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular