જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી કાનાલુસથી દ્વારકા સુધીના રેલ્વે ડબલ ટ્રેકની રૂા.1474 કરોડની યોજના પીએમ ગતી સેન્ટર હેઠળ મંજુરી આપવામાં આવી છે જેને લઇ સાંસદ પૂનમબેન માડમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સર્વે નાગરીકો વતી આભાર વ્યકત કર્યો હતો.
સાંસદ પૂનમબેન માડમે આ અંગે જણાવ્યું હતું કે જામનગર-હાલારને કેન્દ્ર્ર સરકાર દ્વારા આંતર માળખાગત સુવિધામાં ખૂબ જ ઉપયોગી અને મેગા રેલ્વે પ્રોજેકટની ભેટ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત મળવાની જાહેરાત આપણા સૌ માટે આનંદ અને ગૌરવપ્રદ બાબત બની રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેવાડાના ગણાતા હાલારના બન્ને જિલ્લામાં કલ્પના પણ ન કરી હોય તેવા વિકાસ કામોની ભેટ ધરી છે. જેમાં સીગ્નેચર બ્રીજ,ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન રીસર્ચ સેન્ટર જેવા મહત્વના અને વિશ્વમાં જેની ગણના થાય તેવા વિકાસ કામોની ભેટ આપણને મળી છે. આજે હાલારનું નામ કેન્દ્ર્રમાં અને રાજય સરકારમાં અતિ મહત્વના ભૌગોલીક જિલ્લા તરીકે પ્રસ્થાપીત થયુ છે અને મારા સંસદસભ્યના કાર્યકાળમાં જ હાલારની દરેક રજુઆતો, જરૂરીયાતો, સુવિધાઓને કેન્દ્ર સરકારે મંજુર કરી છે અને હાલારની જનતાની દરેક બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચારે તરફ સર્વાંગી વિકાસની દીર્ઘદ્રષ્ટીનો અભિગમ, નિર્ણય શક્તિ અને ખાસ કરીને દેશના છેવાડા સુધી તમામ સુખ-સુવિધા મળી રહે તેવા કામોને ઝડપથી પૂર્ણ કરવાની કટીબધ્ધતાનો અનુભવ સમગ્ર દેશવાસીઓ કરી રહયા છે.
View this post on Instagram
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસમાં સૌથી મહત્વનું પરીબળ હોય તો તે છે રોડ, રેલ્વે, હવાઈ માર્ગની આંતરમાળખાગત પરીવહન સુવિધાની પુર્તિ કરવી. રેલ્વે દ્વારા ખાસ કરીને આપણા હાલારના બન્ને જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં દેશના દરેક મોટા શહેર દેશના ત્રણેય છેવાડાના સ્થળો સુધી લાંબા અંતરની ટ્રેનો મળી છે. આ ટ્રેનોની ફીક્વન્સી અને ઝડપ વધારવા અને ખર્ચ ઘટાડવા ઈલેકટ્રીફીકેશનનું નેટવર્ક વિસ્તરી રહયુ છે. જેમાં હવે તો ઓખા સુધી અને બીજી તરફ પોરબંદર સુધી ઈલેકટ્રીફીકેશન થઈ ગયું છેે. પેસેન્જર ટ્રેનોની ફીક્વન્સી વધારવા માટે સૌ કોઈ માંગણી કરી રહયા છે ત્યારે વધુને વધુ ટ્રેનોને દોડાવવા માટે ડબલ ટ્રેકની જરૂર પડી રહી છે. ત્યારે આપણને રાજકોટ થી કાનાલુસ અને હવે કાનાલુસ થી ઓખા સુધી રેલ્વેના ડબલ ટ્રેકના વિકાસ કામની મંજુરી મળી ગઈ છે. આ ડબલ ટ્રેકની લંબાઈ 1પ9 ક઼િમી. છે. જેમાં સાત મેજર બ્રીજ આવે છે અને બાર સ્ટેશનોને સાંકળી લેશે.
પુનમબેનએ જણાવ્યું છે કે રાજકોટથી કાનાલુસ સુધીના ડબલ ટ્રેકનું કામ લગભગ 70% જેટલુ પુર્ણ થયુ છે અને આગામી જુન 2026 માં આ કામ પુર્ણ થવાની ધારણા છે. ત્યારે કેન્દ્ર સરકારે કાનાલુસ થી ઓખા સુધી ડબલ ટ્રેકના કામને મારી ભારપુર્વકની રજુઆતને વ્હેલાસર સફળતા મળી છે અને કેન્દ્ર સરકારે આ કામ માટે રૂા.1457/- કરોડની ફાળવણી કરી છે. અર્થાત્ હવે આ કામ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ઓખાથી દ્વારકા, દ્વારકાથી ખંભાળીયા-વાડીનાર, ખંભાળીયાથી કાનાલુસ- જામનગર સુધીના પટ્ટામાં ભારતની મહાકાય ઓઈલ રીફાઈનરીઓ તેમજ અન્ય મોટા ઉદ્યોગોના કારણે ગુડઝ ટ્રેન, ટેન્કર ટ્રેનની વ્યાપક અવર-જવર રહે છે.
વધુમાં જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે માલ-સામાન- ઓઈલ-પેટ્રોલ- ડીઝલના પરીવહનને પણ મહત્વ આપવુ જ પડે છે. જેના કારણે પુરતો ટ્રાફીક મળી રહેવાની ખાત્રી હોવા છતા આપણને રાજકોટ સુુધી કે અમદાવાદ ટર્મીનેટ થનારી ટ્રેનોને જામનગર-દ્વારકા- ઓખા સુધી લંબાવી શક્તા નથી જેથી રાજકોટ થી ઓખા સુધી ડબલ ટ્રેકની પ્રાથમિક્તા સાથે અતિ મહત્વની જરૂરીયાત હતી, જે હવે આગામી ત્રણ-ચાર વર્ષમાં પરીપુર્ણ થશે તેવો વિશ્વાસ છે જેથી ટેન્કર/ગુડઝ ટ્રેનના અવર-જવરને અસર ન થાય અને ઉલ્ટાની તેની ફીક્વન્સી પણ વધે તે રીતે પેસેન્જર ટ્રેનોના ક્રોસીંગની સમસ્યા, સીંગલ ટ્રેકના કારણે ખાલી ટ્રેક નહી મળવા જેવી બાબતોના પણ છેદ ઉડી જશે. ઈલેકટ્રીફીકેશન અને ડબલ ટ્રેક થઈ જવાથી હાલારના બન્ને જિલ્લાને ટ્રેનોની મહતમ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે તે દ્રષ્ટીએ હાલારને રેલ્વે ક્ષેત્રે મળેલી આ વિકાસ કામની ભેટ આપણા સૌ માટે ઐૈતિહાસીક બની રહેશે.
હાલારના બન્ને જિલ્લામાં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવેનો પ્રોજેકટ,કોસ્ટેલ હાઈવેનો પ્રોજેકટ, હાલારના રેલ્વે સ્ટેશનોને આધુનીક બનાવવાના કામ, જામનગરના એરપોર્ટનું અપગ્રેડેશન, દ્વારકામાં એરપોર્ટનું નિર્માણ જેવા વિકાસ કામો પુર ઝડપે થઈ રહયા છે. આ તકે એટલુ જરૂર કહીશ કે મારા સંસદસભ્યના કાર્યકાળમાં કદાચ ગુજરાતમાં અન્ય તમામ સંસદીય મતક્ષેત્રો કરતા સૌથી વધુ કિમંતના અને સૌથી વધુ મહત્વના લોકોપયોગી વિકાસ કામો મંજુર થયા છે, પુર્ણ થયા છે અને બાકીના પ્રોજેકટના કામ પુરજોશમાં ચાલી રહયા છે.
ખાસ તો કાનાલુસ થી દ્વારકા-ઓખા સુધીના રૂા.1457 કરોડના મેગા પ્રોજેકટને મંજુરી મળે છે તે માટે હાલારની જનતાનો, હાલારના જાગૃત નાગરીકો અને સંસ્થાઓ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાનાલુસ-ઓખા ડબલ ટ્રેકની સુવિધાથી મળનારા ફાયદા
રાજકોટથી કાનાલુસ અને હવે કાનાલુસથી દ્વારકા-ઓખા સુધી રેલ્વે ઈલેકટ્રીફીકેશન સાથે ડબલ ટ્રેકની સુવિધા મળવાથી આગામી ટુંક સમયમાં જ ખાસ કરીને ખાદ્ય મીઠા ઉદ્યોગના ઉત્પાદનનું પરીવહન ઝડપી બનશે અને તેના કારણે આ ઉધોગથી આર્થિક વૃદ્ધિમાં મોટો વધારો થશે.
આ ઉપરાંત ઓખા બંદર તથા સલાયા બંદરે થી રેલ્વે દ્વારા માલ પરીવહનમાં વધારો થવાથી આ બન્ને બંદરોના વિકાસ સાથે આર્થિક મજબુતીકરણ થશે. ડબલ ટ્રેકની સુવિધા મળવાથી અંદાજે પ્રતિ વર્ષ 11 મીલીયન ટનનો ફ્રેઈટ ટ્રાફીક વધશે.
વિશ્ર્વનું સુપ્રસિધ્ધ જગતમંદિર દ્વારકાધીશ ભગવાનનું મંદિર તેમજ બાર જયોતીર્લિંગ પૈકીનું નાગેશ્ર્વર જયોતીલીંગ હાલારમાં છે. આ ઉપરાંત બ્લુ ફલેગ, સીગ્નેચર બ્રીજ સાથે જોડાઈ ગયેલ બેટ દ્વારકાના સુપ્રસિધ્ધ મંદિરો અને શીવરાજપુર બીચ પણ છે. જયાં દર વર્ષે સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ ભારતભરમાંથી અને વિદેશો માંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ-યાત્રાળુઓ આવે છે તેમના માટે રેલ્વેની સુવિધા ઝડપી, સલામત અને શ્રેષ્ઠ બની રહેશે.
પર્યાવરણનું સંતુલન પણ જાળવવામાં આ વિકાસ કામ અગત્યનું બની રહેશે. જેનાથી 14 કરોડ કિલો જેટલા કાર્બન ડાયોક્સાઈડની અસર ઘટી જશે. જે માટે આપણે કદાચ પ6 લાખ વૃક્ષ્ાો વાવીને ઉછેરવા પડે. દર વર્ષે અંદાજે 3 કરોડ લીટર ડીઝલની બચત થશે અને સૌથી મહત્વની બાબત એ છે કે, દર વર્ષે માલ પરીવહન અને લોજિસ્ટિક ખર્ચમાં રૂા.311 કરોડની બચત થશે. એકંદરે બીજા શબ્દોમાં આ ઈલેકટ્રીફીકેશનનો અને ડબલ ટ્રેકનો જંગી ખર્ચ માત્ર ગણતરીના વર્ષોમાં જ સરભર થઈ જશે.


