Wednesday, February 4, 2026
Homeસમાચારરાષ્ટ્રીયસુપ્રીમ કોર્ટનો વોટ્સએપને મોટો આદેશ : ભારતીય કાયદાનું પાલન કરો અથવા દેશ...

સુપ્રીમ કોર્ટનો વોટ્સએપને મોટો આદેશ : ભારતીય કાયદાનું પાલન કરો અથવા દેશ છોડી દો

ભારતની સુપ્રીમ કોર્ટે મેટા સામે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે મેટાને કહ્યું કે કાં તો ભારતીય કાયદાઓનું પાલન કરે અથવા દેશ છોડી દે. સાયબર કાયદાના નિષ્ણાત અને વકીલ વિરાગ ગુપ્તા સમજાવે છે કે સુપ્રીમ કોર્ટની કડકાઈની મેટા અને વોટ્સએપ પર શું અસર પડશે.ભારતની સુપ્રીમ કોર્ટે વોટ્સએપની પેરેન્રેટ કંપની મેટા સામે કડક વલણ અપનાવ્યું. સુપ્રીમ કોર્ટે મેટાને કહ્યુંકે કાંતો ભારતીય કાયદાઓનું પાલન કરે અથવા દેશ છોડી દે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે નાગરિકોના હિત સર્વોપરી છે. CJI જસ્ટિસ સૂર્ય કાંતે વોટ્સએપને નિર્દેશ આપતા કહ્યું હતું કે, “અમે તમને મેટા સાથે કોઈપણ માહિતી શેર કરવાની મંજૂરી આપીશું નહીં. અમે તમને આ દેશની ગોપનીયતા નીતિઓ સાથે રમવાની મંજૂરી આપીશું નહીં.”

- Advertisement -

સાયબર કાયદાના નિષ્ણાત અને વકીલ વિરાગ ગુપ્તા સુપ્રીમ કોર્ટના કડક પગલાંથી મેટા અને વોટ્સએપ પર શું અસર પડશે તે સમજાવે છે. સુપ્રીમ કોર્ટ અને મેટા અગાઉ ડેટાને લઈને ટકરાઈ ચૂક્યા છે. વિરાગ ગુપ્તા સમજાવે છે કે કેવી રીતે મેટાના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડેટા ચોરી કરવા માટે ભેગા થાય છે. તે આમ કરવા માટે ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ગુપ્તાના મતે, પ્રથમ, આ ત્રણેય કંપની ઓ એકબીજા સાથે ડેટા શેર કરે છે. બીજું, ત્રણેય કંપનીઓ દેશની બહાર ડેટા મોકલે છે. ત્રીજું, CCI કેસ છે, જેમાં જે કહેવામાં આવ્યુંછે કે OTT અને જાહેરાત પર કંપનીનો એકાધિકાર જ વાસ્તવિક સમસ્યા છે.

અપીલોની સુનાવણી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ કરવામાં આવશે. વોટ્સએપના વકીલે દલીલ કરી હતી કે તેની નીતિઓ અન્ય આંતરરાષ્ટ્રીય અધિકારક્ષેત્રોના ધોરણો અનુસાર છે. જો કે, આ દલીલો સાંભળ્યા પછી CJIએ જણાવ્યું હતું કે NCLAT સમક્ષ જાન્યુઆરી 2025ના આદેશની સ્થિતિ હજુ પણ મહત્વપૂર્ણ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોને નોટિસ જાહેર કરી છે. આ અપીલો પર વિગતવાર સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ થશે.

- Advertisement -

ડેટા સરકારની તિજોરી કેવી રીતે ભરશે?
નિષ્ણાતોના મતે, ભારતમાં ડેટા ટ્રેડિંગ GST ને આધીન નથી, અને જો GST વસૂલવામાં આવે છે, તો તે સરકારના ખજાનાને ભરી દેશે અને આ કંપનીઓને ભારતીય કાયદાના દાયરામાં લાવશે. તેમણે ગેરકાયદેસર ડેટા ટ્રેડિંગને રોકવા અને કાયદેસર ડેટા ટ્રેડિંગ પર કર લાદવાની પણ હિમાયત કરી. કાનૂની ડેટા શેરિંગથી સાયબર છેતરપિંડી ઓછી થશે.

વોટ્સએપે થોડા મહિના પહેલા આ જવાબ આપ્યો હતો
થોડા મહિના પહેલા, વોટ્સએપે કોર્ટમાં એક મજબૂત નિવેદન આપ્યું હતું. સુનાવણી દરમિયાન, વોટ્સએપે જણાવ્યું હતું કે જો તેને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રપ્શન દૂર કરવાનું કહેવામાં આવશે, તો તે ભારત છોડી દેશે કારણ કે તેની પાસેબીજો કોઈ વિકલ્પ ન હોતો.

- Advertisement -

આ વોટ્સએપ સમસ્યા ક્યારે શરૂ થઈ?
WhatsApp ની ગોપનીયતા નીતિને લગતા આ વિવાદનું મૂળ તેની પોતાની છે. વર્ષોથી, WhatsApp એ દલીલ કરી છે કે તેના સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (E2EE) છે, જે ફક્ત મોકલનાર અને પ્રાપ્તકર્તા વચ્ચેજ ડિક્રિપ્ટ થાય છે. તેમને વાંચવાનો પ્રયાસ કરતા તૃતીય પક્ષો આમ કરી શકશે નહીં. હવે ચાલો WhatsApp ની નવી નીતિ પર આવીએ જેમાં જે તેણે સ્પષ્ટ કર્યું છે કે તે યુઝરનો મેટા ડેટા, એટલે કે વાતચીત કોની સાથે, ક્યારે,કેટલી વાર થઈ, ડિવાઇસની માહિતી અને અન્ય ટેકનિકલ વિગતો અન્ય મેટા કંપનીઓ, ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરી શકે છે. ભારત સરકારનો સ્પષ્ટ વલણ છે કે ભારતીય વપરાશકર્તાઓનો ડેટા ભારતીય સરહદોની અંદર જ રહેવો જોઈએ અને તેનો ઉપયોગ ભારતના માર્ગદર્શિકા અને કાયદાઓ હેઠળ થવો જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular