Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરપત્ની માવતરે જતી રહી, પતિની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

પત્ની માવતરે જતી રહી, પતિની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરમાં હનુમાન ટેકરી મેલડીમાં ના મંદિર પાસે રહેતા અને ડ્રાઈવિંગ કરતા યુવાનની પત્ની 10 દિવસથી રીસામણે માવતરે જતી રહેતાં યુવાનને મનમાં લાગી આવતા તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં નિલકલમ સોસાયટીમાં મેલડીમાં ના મંદિર સામે રહેતા ડ્રાઈવિંગ કરતા ભરતભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.32) નામના યુવાનને પત્ની 10 દિવસથી માવતરે જતી રહી હતી. તે બાબતનું મનમાં લાગી આવતા શુક્રવારે સાંજના સમયે તેના ઘરે મકાનના છાપરાની આડશમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ મૃતકના ભાઈ કિશન દ્વારા કરવામાં આવતા હેકો એમ.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular