Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવકની અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા

જામનગરમાં યુવકની અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ખંભાળિયા બાયપાસ પાસે વાડી વિસ્તારમાં બનાવ: પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના ખંભાળિયા બાયપાસ પાસે નાઘેડી વાડી વિસ્તારમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, આસામના વતની અને જામનગર નજીક ખંભાળિયા બાયપાસ પાસે નાઘેડી વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં રહેતાં અમીત દાલીમ નાથ (ઉ.વ.23) નામના યુવકે સોમવારે દિવસ દરમિયાન તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની વિવેકભાઈ ગણાત્રા દ્વારા જાણ કરાતા હેકો એસ.જી. ડાભી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular