Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારનાની ખાવડીમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

નાની ખાવડીમાં પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતાં પ્રૌઢે તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતાં મુકેશભાઈ નાથાભાઈ ઝાલા (ઉ.વ.52) નામના પ્રૌઢે શનિવારે તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પુત્ર અજય દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular