ખાડી દેશોમાં યુદ્ધના તણાવની અસરને લઈ ઈધણ-ઊર્જાના પુરવઠા પર અસર પડી રહી હોવા છતાં રાજ્યના અન્ય શહેરોમાં એકંદરે અછતની ઉઠતી અફવા વચ્ચે જામનગરમાં સ્થિતિ એકંદરે નિયંત્રણમાં હોવાનું જણાય છે.

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સપ્લાય અને વેચાણની પ્રક્રિયા અવિરત રહી છે. લોકોને અફવાથી ગેરમાર્ગે નહીં દોરવા જિલ્લા વહિવટી તંત્રએ અનુરોધ કર્યો જામનગર જિલ્લાની પેટ્રોલ-ડિઝલની સ્થિતિની વાત કરીએ તો જિલ્લાના 204 પંપો ઉપર 15 લાખ 61 હજાર લીટર પેટ્રોલ અને 24 લાખ 14 હજાર લીટર ડિઝલનો જથ્થો ઉપલબ્ધ છે.
View this post on Instagram


