Saturday, December 27, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપ્રધાનમંત્રી જાસૂસી બંધ કરો: સંસદમાં શોર

પ્રધાનમંત્રી જાસૂસી બંધ કરો: સંસદમાં શોર

બપોરે 12 વાગ્યે રાજયસભા ફરી સ્થગિત: ચોમાસુ સત્રનું બીજું સપ્તાહ પણ તોફાન સાથે શરૂ

ચોમાસુ સત્રનું બીજું અઠવાડિયું આજે સોમવારથી શરૂ થયું છે. સવારથી અત્યાર સુધીમાં બંને ગૃહોની કાર્યવાહીમાં હોબાળો મચ્યો હતો. પેગાસસ જાસૂસી કૌભાંડ, ખેડૂત આંદોલન, કોરોના દુર્ઘટના જેવા મુદ્દાઓ પર વિપક્ષ હુમલો કરી રહ્યો છે. આ મુદ્દાઓ પર આજે સોમવારે પણ વિવાદ ચાલુ રહ્યો હતો.

ચોમાસુ સત્રમાં હજી સુધી બંને ગૃહોની કાર્યવાહી સરળતાથી ચાલતી નથી. ગયા અઠવાડિયાની શરૂઆતમાં, પેગાસસ જાસૂસી કૌભાંડ અને ઓક્સિજનના અભાવને કારણે એક પણ મોત નહીંના મુદ્દા પર શોરબકોર જોવા મળ્યો છે. વિપક્ષે આ બંને મુદ્દાઓ પર હાલાકી ઉભી કરી હતી. હોબાળો થતાં કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. તે જ સમયે, રાજ્યસભામાંથી (ચોમાસાના સત્ર માટે) ટીએમસી સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરવાની બાબત હજુ ઠંડી પડી નથી. જણાવી દઈએ કે રાજ્યસભામાં તણાવ સર્જાયો હતો જ્યારે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ પેગાસસ મુદ્દે બોલવા માટે ઉભા થયા હતા, ટીએમસીના સાંસદ શાંતનુ સેને નિવેદનપત્ર છીનવી લીધું હતું અને ડેપ્યુટી સ્પીકર તરફ ફેકી દીધું હતું.

જંતર મંતર ખાતે મહિલા ખેડૂતો ખેડૂતસંસદમાં આજે પહોંચી છે. સીપીએમના નેતાઓ સુહાસિની અલી અને સીમા હૂડાએ પણ ખેડૂત સંસદમાં ભાગ લીધો છે. રાજ્યસભાની કાર્યવાહી વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. સંસદમાં બીજેપી સંસદીય પાર્ટીની બેઠક આવતીકાલે સવારે યોજાશે. સવારે પ્રશ્ર્નકાળ દરમિયાન રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો હતો. પેગાસસ જાસૂસી કાંડ અંગે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ગૃહમાં વડા પ્રધાનન જાસૂસી રોકોના નારા લગાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular