Wednesday, March 5, 2025
Homeરાજ્યજામનગરલાલપુર ગામમાં નિવૃત્ત વૃધ્ધે અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવી

લાલપુર ગામમાં નિવૃત્ત વૃધ્ધે અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવી

ઢાંઢર રીવરફ્રન્ટમાં રાત્રિના દવા પીધી : સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ

- Advertisement -

લાલપુર ગામમાં રહેતાં નિવૃત્ત વૃદ્ધે અગમ્યકારણોસર ઢાંઢર રીવરફ્રન્ટની અંદર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ લાલપુર ગામમાં આવેલા જૂના આંબેડકરવાસ વિસ્તારાં રહેતાં ગાગાભાઈ સોમાભાઈ ચાવડા (ઉ.વ.65) નામના નિવૃત્ત વૃદ્ધે ગુરૂવારે રાત્રિના સમયે ઢાંઢર રિવરફ્રન્ટની અંદર અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા એેએસઆઈ એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular