Tuesday, March 3, 2026
Homeરાજ્યજામનગરખીજડા મંદિરમાં રાજભોગ અને ફુલડોલ ઉત્સવ યોજાયા - VIDEO

ખીજડા મંદિરમાં રાજભોગ અને ફુલડોલ ઉત્સવ યોજાયા – VIDEO

છોટી કાશી ગણાતા જામનગરમાં હોળી બાદ આજે ધુળેટીનું પર્વ છે એક તરફ આજે ગ્રહણને લીધે આવતી કાલે લોકો ધુળેટી મેળવી રહ્યા છે ત્યારે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની આચાર્ય પીઠ 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનતવિભૂષિત કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરવામાં આવ્યા હતાં. અને ગ્રહણ હોવાના કારણે સવારે જ ફૂલડોલ ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો.

- Advertisement -

તેમાં ભક્તોને આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે ફુલ અને અબીલ ગુલાલ સહિતના પૂજ્ય દ્રવ્યો ઉપરાંત અતરથી અસત્ય પર સત્યના વિજયના વધામણા સ્વરૂપે અમીછાટણા કર્યા હતા. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતા.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular