Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં રીક્ષાએ ઠોકરે ચડાવતા પ્રૌઢાનું મોત

જામનગરના દરેડમાં રીક્ષાએ ઠોકરે ચડાવતા પ્રૌઢાનું મોત

બુધવારે રાત્રિના સમયે અકસ્માત: 108 માં જી. જી. હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં રાંદલમાતાજીના મંદિર પાસેથી ચોકડી તરફ જતી રિક્ષાના ચાલકે રસ્તો ક્રોસ કરતા પ્રૌઢાને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશ રાજ્યના ચોકરા ગામના વતની અને હાલ દરેડ ગામમાં રહેતાં રાકેશ જમનાપ્રસાદ કુર્મી નામના મજૂરી કામ કરતા યુવાનની માતા ઉમરાનીબેન (ઉ.વ.50) નામના પ્રૌઢા બુધવારે રાત્રિના સમયે દરેડ ગામમાં રાંદલમાતાજીના મંદિર પાસે લાલપુર ચોકડીથી લાલપુર તરફ જવાના માર્ગ પર રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન પુરપાટ આવી રહેલી જીજે-10-ટીઝેડ-1505 નંબરની રીક્ષાના ચાલકે પ્રૌઢાને હડફેટે લઇ પછાડી દેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે રાકેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular