Saturday, January 17, 2026
Homeરાજ્યહાલારપીઠડિયા ગામની સીમમાં બે બાળકોની હત્યાના કેસમાં માતાને ઝડપી લેતી પોલીસ

પીઠડિયા ગામની સીમમાં બે બાળકોની હત્યાના કેસમાં માતાને ઝડપી લેતી પોલીસ

મહિલા બિમાર રહેતી બન્ને બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા બાળકોના મૃત્યુ થયા હતાં

કાલાવડ તાલુકાના પીઠડિયા ગામની સીમમાં બે બાળકોની થયેલ હત્યાના કેસમાં જામનગર/કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી માતાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં ચકુબેન બદિયાભાઈ પલાસ નામની મહિલા બીમાર રહેતી હોય તેમના બન્ને બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા બન્ને બાળકોના મોત થયા હતાં અને મહિલા આરોપી ત્યાંથી નાશી ગઈ હતી. આ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાને આરોપી માતા ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી તેના આધારે એલસીબી દ્વારા ખેંગારકા ખાતેથી ચકુબેન પલાસને ઝડપી લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular