Saturday, December 6, 2025
Homeરાજ્યમીઠાપુરમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

મીઠાપુરમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

મંગળવારે સાંજે બનાવ : અકસ્માત બાદ રિક્ષાચાલક પલાયન : પોલીસ દ્વારા શોધખોળ

ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા લગધીરભાઈ ભીખાભાઈ વાઘેલા નામના દેવીપુજક યુવાન ગઈકાલે મંગળવારે જી.જે. 11 એક્સ. 3287 નંબરના એક રિક્ષામાં બેસીને મીઠાપુર ખાતે વેપાર લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ભીમરાણા ગામના એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકર થઈ રહેલા જી.જે. 10 ટી.ડબલ્યુ. 9929 નંબર રિક્ષાચાલકે લગધીરભાઈના રીક્ષા નંબર 3287 સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં લગધીરભાઈને શરીરના જુદા-જુદા ભાગો સાથે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માત સર્જી આરોપી રિક્ષા ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે મૃતકના પત્ની કુંવરબેન લગધીરભાઈ વાઘેલા (ઉ.વ. 45, રહે. ભીમરાણા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 279, 304(અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular