Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમતદાનના દિવસે દિવ્યાંગ અને સિનિયર સીટીઝન મતદાર માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ...

મતદાનના દિવસે દિવ્યાંગ અને સિનિયર સીટીઝન મતદાર માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરાશે

ગુજરાત વિઘાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લામા પાંચેય વિધાનસભા મતવિસ્તારમા તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે જિલ્લામા દિવ્યાંગ મતદારો અને સીનીયર સીટીઝન મતદારોને મતદાનને લગતી કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને તેઓની મતદાનને લગતી ફરીયાદનુ નિવારણ કરી શકાય તે હેતુ નોડલ ઓફિસર (PWD) દ્વારા જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી મતદાન પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુઘી શરૂ કરવામા આવશે.

- Advertisement -

જેમાં નાયબ નિયામક અનુચુચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સેવાસદન-૦૪, રૂમ નં.૧૦/૧૧,જામનગર-રાજકોટ હાઈવે,રાજપાર્ક ખાતે શરૂ કરવામાં આવનાર કંટ્રોલરૂમ ખાતે નોડલ ઑફિસર તરીકે ડો. ઘનશ્યામ વાઘેલા અને એમ.આર.પટેલ ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમનો ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૩ ૩૬૮૧ છે. તેમ નોડલ અધિકારી (PWD) અને નાયબ નિયામક અનુચુચિત જાતિ કલ્યાણ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular