Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમાનસિક બીમારીથી કંટાળીને વૃધ્ધની આત્મહત્યા

માનસિક બીમારીથી કંટાળીને વૃધ્ધની આત્મહત્યા

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીનસિટી વિસ્તારમાં રહેતાં વૃધ્ધે તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગ્રીનસિટી શેરી નં.8 માં શિવલહેરીમાં રહેતા બિપીનચંદ્ર રમણિકલાલ ત્રિવેદી (ઉ.વ.62) નામના નિવૃત્ત વૃદ્ધને છેલ્લાં 2 વર્ષથી માનસિક બીમારી થઈ હતી આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની માલતીબેન દ્વારા જાણ કરાતા હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular