Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નેપાળી સેફ (રસોયા) યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગરમાં નેપાળી સેફ (રસોયા) યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

તેની ઓરડીમાં નાઇલોન પટ્ટા વડે જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં સિધ્ધનાથ સોસાયટી વિસ્તારમાં રહેતો અને હોટલમાં રસોયા તરીકે ફરજ બજાવતા યુવકે તેની ઓરડીમાં અગમ્યકારણોસર લોખંડના પાઇપમાં નાઈલોન પટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, મૂળ નેપાળના કંચનપુર જિલ્લાના ચાંદની ગામનો વતની અને હાલ જામનગરમાં ઓવરબ્રીજ નીચે આવેલી સિધ્ધનાથ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો અને ઝીરોસાઈઝ હોટલમાં સેફ (રસોયા) તરીકે કામ કરતો ડમ્બર ગોપાલ રામલાલ સુનાર (ઉ.વ.19) નામના યુવકે ગુરૂવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર લોખંડના પાઈપમાં નાઈલોનનો પટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની વિરલભાઇ સીમરીયા દ્વારા જાણ કરાતા એએસઆઇ એફ.જી.દલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા અને મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular