ગુજરાત રાજય કાનુંની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુંસાર જીલ્લા કાનની સેવા સત્તય મંડળ, જામનગર દ્વારા તા.11 સપ્ટેમ્બર ના રોજ જામનગર જીલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટમેન્ટ એકટની કલમ કલમ 138 ના મુજબના ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના), કૌટુબીક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ( ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ, અન્ય સીવીલ કેસ (ભાડુંઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વિગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલત યોજાશે. આથી જામનગર જીલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારો ઉપરોક્ત પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિવારણ કરવા, તેઓના વિ. વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જીલ્લા કાનુંની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. 2550106 ઉપર સંપર્ક કરવો તેમજ દરેક જીલ્લા/તાલકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જીલ્લા/તાલકા કોર્ટનો સંપર્ક કરવા યાદી જણાવે છે.


