Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરનાં 53 હજારથી વધુ મિલકત-ધારકોએ છ કરોડનો એડવાન્સ વેરો ભર્યો

જામનગરનાં 53 હજારથી વધુ મિલકત-ધારકોએ છ કરોડનો એડવાન્સ વેરો ભર્યો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે તા. 17-5-21 થી 30-6-21 સુધી રિબેટ યોજના એટલે કે, વેરા વળતર યોજના જાહેર કરવામાં આવેલ હતી. આ વેરા વળતર યોજનાનો લાભ મોટાભાગના શહેરીજનોએ લીધો છે. તેમ છતાં પણ આ વાર્ષિક વેરો ભરપાઇ કરવામાં બાકી રહેતા કરદાતાઓ માટે મહાનગરપાલિકાએ આ વેરા વળતર યોજનાની મુદ્તમાં વધુ એક માસનો એટલે કે તા. 31-7-21 સુધી વધારો કરવામાં આવેલ છે. જેથી શહેરીજનોને આ વેરા વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત તા. 17-5-21 થી 30-6-21 સુધીમાં 53.843 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકત વેરા પેટે રૂા. 17.03 કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. 3.14 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂા. 1.62 કરોડનું રિબેટ આપવામાં આવેલ છે. આ રિબેટ યોજના અન્વયે મિલકત વેરામાં 35,766 લાભાર્થીઓએ રૂા. 1.33 કરોડ તથા વોટરચાર્જમાં 18,077 લાભાર્થીઓએ રૂા. 29.35 લાખનું રિબેટ મેળવેલ છે.

ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત તા. 1-4-21 થી 30-6-21 સુધીમાં મિલકત વેરાની કુલ રૂા. 19.01 કરોડ તથા વોટરચાર્જમાં કુલ રૂા. 3.52 કરોડની વસુલાત થવા પામેલ છે.

તદ્ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા. 31-3-06 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા/વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ તા. 1-4-2006થી કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા/વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

વ્યવસાયવેરામાં તા. 1-4-21થી 30-6-21 સુધી જાહેર થયેલ 100 ટકા વ્યાજમાફી યોજના પૂર્ણ થયેલ હોય, આ યોજના અંતર્ગત કુલ 4242 વ્યવસાયકારોએ રૂા. 18.12 લાખની વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન વ્યવસાયવેરાની કુલ રૂા. 1.30 કરોડની વસુલાત થવા પામેલ છે.

ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન વ્યવસાવેરાની બાકી રોકાતી રકમ રૂા. 1-7-21થી 31-3-22 સુધીમાં ભરપાઇ કરનાર તમામ વ્યવસાયકારો માટે 50% વ્યાજમાફી યોજના જાહેર કરેલ હોય તો આ વ્યાજમાફી યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular