Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા 10000 થી વધારે ફુડ પેકેટસ તૈયારા કરાયા

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા 10000 થી વધારે ફુડ પેકેટસ તૈયારા કરાયા

આજથી લઈને તા.16 સુી સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સંભવિત ચક્રવાત ‘બિપરજોય’ ના ઘેરા વાદળો છવાયા છે. ત્યારે જામનગરમાં 10 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અને તંત્ર દ્વારા આ ચક્રવાતની સ્થિતિમાં પહોંચી વળવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે જામનગર-78ના યુવા ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા પણ આ સંભવિત વાવાઝોડાના પડકારને ઝીલીને સાવચેતી અને આગમ તેયારીના રૂપમાં દિવસ અને રાત દોડી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી સેવાની સંસ્કૃતિ પ્રમાણે ધારાસભ્ય રિવાબા તેમજ તેમની ટીમ દિવસ-રાત કાર્યરત રહીને 10 હજારથી વધારે ફુડ પેકેટસ તૈયાર કરાવી રહ્યા છે. જેથી ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કોઇને પણ અન્ન કે જળ વગર રહેવું ના પડે તેની પૂર્વ તૈયારીમાં ધારાસભ્ય લાગી ગયા છે. તેમની સાથે વોર્ડ નં.3 ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી અને તેમની ટીમ પણ આ કાર્ય સાથે તાલ મીલાવીને કામગીરી કરી રહ્યા છે. આમ જામનગરની જનતા માટે સતત પ્રયત્નશીલ રહેતા એવા યુવા ધારાસભ્ય અને તેમની ટીમ આ ચક્રવાતના પગલે અગમચેતી રૂપે ફુડ પેકેટ્સ તૈયાર કરવાની કામગીરી કરી રહ્યા છે અને જામનગરની જનતાને બિપરજોય ચક્રવાતના પગલે સાવચેતી રાખવાના સુચનો પણ આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular