Sunday, January 11, 2026
Homeરાજ્યહાલારમોરારસાહેબ ખંભાલિડાનો ખેડૂત યુવાન લાપતા

મોરારસાહેબ ખંભાલિડાનો ખેડૂત યુવાન લાપતા

જામનગર જિલ્લાના મોરારસાહેબ ખંભાલિડા ગામમાં રહેતાં અને ખેતી કામ કરતા યુવાન ત્રણ દિવસ પહેલાં તેના ઘરેથી ચાલ્યા ગયા બાદ લાપતા થયાના બનાવમાં પોલીસે શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોરારસાહેબ ખંભાલિડા ગામના મોટાવાસમાં રહેતાં દિગ્વીજયસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.26) નામના ખેતીકામ કરતા યુવાન ગત તા.10 ના રોજ રાત્રિના સમયે તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા બાદ યુવાનની તેના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હોવા છતાં પતો લાગ્યો ન હતો. બાદમાં આ અંગેની જાણ પોલીસમાં કરવામાં આવી હતી. જેના આધારે પંચ એ પોલીસ સ્ટાફે યુવાનની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular