જામનગર તાલુકાના કનસુમરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કારખાનાનાની ભઠ્ઠીમાં મજૂરી કામ કરતા સમયે એકાએક બ્લાસ્ટ થતા બળેલો રસ ઉડીને દાઝી જતાં ત્રણ શ્રમિકોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં તે પૈકીના એક શ્રમિકનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના કનસુમરા જીઆઇડીસી પ્લોટ નંબર 1 અને સર્વે નંબર 82 માં આવેલા શ્રી ભવાની એકસુજન કારખાનામાં ગત તા.05 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે ભઠ્ઠીમાં બ્રાસ ઓગાળતા સમયે અચાનક બ્લાસ્થ થતા બળેલો રસ મજૂરી કામ કરતાં ત્રણ શ્રમિકોને ઉડતા દાઝી ગયેલા ત્રણેયને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં મધ્યપ્રદેશના મુહરાઇ ગામના વતની નિલેશ કછેડીલાલ દહાયત (ઉ.વ.28) નામના યુવાનની હાલત વધુ ગંભીર થતા તેને મધ્યપ્રદેશ તેના વતનમાં સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વિકાસ યાદવ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.