Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરગણપતિ મંડળના આયોજકો સાથે બેઠક

ગણપતિ મંડળના આયોજકો સાથે બેઠક

- Advertisement -

છોટીકાશી જામનગર શહેરમાં પ્રતિ વર્ષ ગણપતિ મહોત્સવની ભારે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી થાય છે. જે ઉજવણીમાં જામનગર શહેરના ગણપતિ મંડળો પીઓપીની મૂર્તિઓને છોડીને ઇકો ફ્રેન્ડલી અથવા માત્ર માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું જ સ્થાપન કરે અને પર્યાવરણની જાળવણીની ઝુંબેશમાં સહભાગી બને તે માટે ગણપતિ પંડાલોના સંચાલકો અને કાર્યકરોની એક બેઠક રાખવામાં આવી છે.

- Advertisement -

છોટીકાશી જામનગરમાં ગણપતિ ઉત્સવના કારણે પર્યાવરણ બગડે નહીં તે માટે માટીની મૂર્તિ કે તેના જેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન થાય તે માટે એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો છેલ્લાં છ વર્ષથી હાથ ધરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ જામનગર શહેર અને નજીકના ગણપતિ ઉત્સવની ઉજવણી કરતી સંસ્થાઓ-મંડળોના મુખ્ય કાર્યકરો સાથે આ વિષયની સાથે ચર્ચા વિચારતા કરવા તથા ઈકો ફ્રેન્ડલી રીતે ગણોશોત્સવ સૌના સહકારથી વધુ સારી રીતે ઉજવી શકીયે તેની ચર્ચા કરવા તા.31 ના સાંજે 07 વાગ્યે લોહાણા મહાજન વાડી, ઠકરાર વિંગ, પંચેશ્ર્વરટાવર, જામનગર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં ઈકો ફ્રેન્ડલી બનાવનારા મૂર્તિકારોને પણ મિટિંગના સ્થળ પર હાજર રખાવી, તેઓની નાની મોટી માત્ર માટીમાંથી બનાવેલી અનેક મૂર્તિઓનું નિર્દેશન પણ કરવામાં આવશે. ગણપતિ પંડાલોના વધુમાં વધુ સંચાલકો ઉપસ્થિત રહી આ આયોજન વધુ સારી રીતે થઈ શકે તે માટે સહભાગી બને તેવો અનુરોધ આયોજક બંને સંસ્થા વતી જીતુભાઈ લાલે કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular