દ્વારકા તરફ ચાલી રહેલી પવિત્ર પગયાત્રામાં એક યુવાન કૃષ્ણભક્ત પોતાની અડગ શ્રદ્ધાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. પદયાત્રી લાલાભાઈ લાલાની વજનદાર અને આકર્ષક મૂર્તિ સાથે ભક્તિભાવથી આગળ વધી રહ્યા છે.
મૂર્તિ ભારે હોવા છતાં તેમના ચહેરા પર થાકનો કોઈ અણસાર દેખાતો નથી. તેના બદલે ભક્તિનો તેજ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ ઝળહળી ઊઠે છે. રસ્તામાં મળતા લોકો તેમની આ અનોખી આસ્થાને નમન કરે છે અને આશીર્વાદ આપે છે.
View this post on Instagram
લાલાને સાથે રાખીને પગપાળા યાત્રા કરવાનો લાલાભાઈનો સંકલ્પ અન્ય ભક્તો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. ભક્તિ, વિશ્વાસ અને સંકલ્પનું આ દૃશ્ય યાત્રામાર્ગ પર સૌના હૃદયમાં નવી શક્તિ અને શ્રદ્ધાનો સંચાર કરી રહ્યું છે.


