દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની સત્તર વર્ષ, બે માસની સગીર વયની પુત્રીનું ગત તારીખ 14 જુલાઈના રોજ બદકામ કરવાના ઇરાદાથી તેણીના પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ થયાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં શકદાર તરીકે દ્વારકામાં રહેતા રાકેશ જેઠવા નામના શખ્સનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે દ્વારકા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.


