Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરઓપરેશન પછીના દુ:ખાવાથી કંટાળી વૃધ્ધે દવા ગટગટાવી નદીમાં ઝંપલાવ્યું

ઓપરેશન પછીના દુ:ખાવાથી કંટાળી વૃધ્ધે દવા ગટગટાવી નદીમાં ઝંપલાવ્યું

બે સપ્તાહ પૂર્વે પથરી અને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું : ઓપરેશન બાદ પણ રહેતા દુ:ખાવાથી કંટાળી જિંદગી ટૂંકાવી : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જોડિયા તાલુકાના સામપર ગામમાં રહેતાં વૃદ્ધને પથરીનું ઓપરેશન કરાવ્યું હોવાથી દુ:ખાવો સહન ન થતા જિંદગીથી કંટાળીને તેના ઘરે ઝેરી દવા પી નદીમાં પડી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના સામપર ગામમાં રહેતા જયંતીભારથી અમરભારથી ગોસાઈ (ઉ.વ.70) નામના વૃધ્ધને ઘણાં સમયથી પથરી અને પ્રોસ્ટેટની તકલીફ હોવાથી બે સપ્તાહ પૂર્વે ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન બાદ પણ સતત દુ:ખાવો રહેતો હતો અને દુ:ખાવો સહન ન થવાથી સુનમુન અને ઉદાસ રહેતા હતાં. દરમિયાન બુધવારે સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી અને ગામની સીમમાં આવેલી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃધ્ધને નદીમાંથી બહાર કાઢી જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર ઉપેન્દ્રભારથી ઉર્ફે મુન્ના મહારાજ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular