Friday, October 18, 2024
Homeરાજ્યહાલારભૂચરમોરી યુધ્ધના વિર જશાજી ચંગલજી ચૌહાણની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા માગ

ભૂચરમોરી યુધ્ધના વિર જશાજી ચંગલજી ચૌહાણની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા માગ

- Advertisement -

ભૂચરમોરી યુધ્ધ બલિદાન પ્રસંગે યોજાતા કાર્યક્રમમાં જામનગરના આ યુધ્ધના સેનાપતિ જેશાજી ચંગલજી ચૌહાણની પુરા કદની પ્રતિમા સ્થાપવા રાજપૂત ઉત્કર્ષ સંઘના ભૂ.પૂ. વહીવટદાર ભૂપતસિંહ ચૌહાણ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભૂચરમોરી મહાસંગ્રામમાં વિરગતિ પામેલ સમર્થ આગેવાન વિરપુરુષોના પાળિયા (ખાંભી) તથા આ યુધ્ધના ચિત્તાર આપતો શિલાલેખ સહિતનું પ્રાચીન યુધ્ધ સ્મારક ભૂચરમોરી મેદાન ખાતે આવેલ છે. આ ભૂચરમોરી મહાયુધ્ધમાં જામનગરની સેનાના સેનાપતિ તરીકે અંતિમ શ્ર્વાસ સુધી સંચાલન કરી ભૂચરમોરી રણમેદાન ખાતે વિરગતિ પામેલા જેશાજી ચંગલજી ચૌહાણ ક્ષત્રિય રાજપૂત વિરપુરુષ હતાં. આ મહાયુધ્ધની વિરગાથાઓના ઇતિહાસની ગૌરવવંતિ કથાઓ આજે પણ ભૂચરમોરીના પ્રાચીન યુધ્ધ સ્મારકમાં આ પાળિયાઓ વર્તમાન પ્રજાને કહી રહ્યા છે અને ભવિષ્યમાં આવનારી પ્રજાને પણ કહેતા રહેશે. ત્યારે જામનગરની સેનાના સેનાપતિ વિર જશાજી ચંગલજી ચૌહાણ આ મહાયુધ્ધનું સમગ્ર સંચાલન સંભાળતા હતાં. તેથી તેમની પુરાકદની ઘોડેશ્ર્વારી સાથેની પ્રતિમા ભૂચરમોરીના શહિદ વન ખાતે મુકવા માગ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular